મુંબઈ
બૉલીવુડ અભિનેતા રણબીર કપૂર અને દિપીકા પાદુકોણ વચ્ચે બ્રેક અપ થયાના અહેવાલો વચ્ચે રણબીરે કહ્યું છે કે જીવનમાં તેના માટે દિપીકા કરતાં ફિલ્મો વધારે મહત્વની છે.
એક મુલાકાત દરમિયાન રણબીરે કહ્યું હતું મારે ઘણા મિત્રો છે જેમાંથી કેટલાક તો એવા છે જે મારી સાથે કામ નથી કરતાં પણ સારા સંબંધ ધરાવે છે. દિપીકા સાથે બ્રેપ થવા વિશે ઈશારો કરતાં રણબીરે કહ્યું હતું કે હું સ્ત્રીઓનું સન્માન કરું છું પરંતુ મારા માટે તેના કરતાં ફિલ્મો વધારે મહત્વની છે. મારી ઈમેજ લોકો સમક્ષ લવર બોય જેવી ઉભી થઈ રહી છે પરંતુ ખરેખર તેવું નથી. જો કે હું હ્રદયથી રોમેન્ટિક છું. હું જાણુ છું કે મારુ ભવિષ્ય ઉજ્જ્વળ છે.
રણબીર અને કેટરિના દ્વારા અભિનીત ફિલ્મ અજબ પ્રેમ કી ગજબ કહાની શુક્રવારે થિયેટરોમાં રજૂ થઈ છે.