બાકી મનોરંજન કર સબબ ૧૦ કેબલ ઓપરેટરોના જોડાણો કટ

Nov 20,2009 Home > Rajkot > Rajkot City >Article
 
comment    e-mail    print    
 
Viewed 101
Rate 0
Rating
Bookmark The Article
 
 

રાજકોટ તા.૧૯

રાજકોટમાં મનોરંજન કર ન ભરનારા કેબલ ઓપરેટરો ઉપર આખરે તંત્રની તવાઈ ઉતરી છે. મનોરંજન કાર ભરવામાં ઠાગા ઠૈયા કરનાર દસ પૈસા કેબલ ઓપરેટરોના કનેકશન ગુરૃવારે કાપી નાખવામાં આવ્યા હતા.

મનોરંજન કરના ઈન્ચાર્જ મામલતદાર એમ.ડી.માંજરીયાના જણાવ્યા અનુસાર શહેરના માલવીયાનગર, ગોકુલધામ, વિજય સોસાયટી, વાણીવાડી, મવડી પ્લોટ, વિનય સોસાયટી સહિતના વિસ્તારોમાંથી દસ જેટલા પેટા કેબલ ઓપરેટરોના  છેડા મુખ્ય કેબલ ઓપરેટરના છેડામાંથી કાપી નાખવમાં આવ્યા હતા. તમામને બે દિવસની મુદત આપવામાં આવી છે. જે વિસ્તારોમાંથી પેટા કેબલ ઓપરેટરોના છેડા કાપી નાખવામાં આવ્યા હતા તે વિસ્તારના લોકો વિવિધ ચેનલોથી વંચિત રહી જતાં દેકારો મચી ગયો હતો. માલવીયાનગરમાં મનહર રાણાના રૃા.પ હજાર, કૌશીક જાડેજા રૃા.રપ હજાર, મવડી પ્લોટમાં રમેશ ટકરૃના રૃા.૧૮૯૦૦ ગોકુલધામમાં જયુભા ઝાલાના રૃા.રપ હજારની વસુલાત બાકી છે.
 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com