ભાવનગર તા.૧૪
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-૧૦ અને ધો-૧૨ની માર્ચ ૨૦૧૦માં લેવામાં આવનારી પરીક્ષામાં ભાવેણાના છાત્રોની સંખ્યામાં વધારો થયો હોવાનું જાણવા મળ્યુ છે.વિજ્ઞાન પ્રવાહમા વિધાર્થીઓ ઘટી રહ્યાની બુમ વચ્ચે ભાવેણામાં વિધાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે.
આ અંગે સાંપડતી માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૦માં બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૦૯માં લેવામાં આવેલી ધો-૧૦ની બોર્ડની પરીક્ષામાં ૨૬,૧૬૧ વિધાર્થીઓ નોંધાયા હતા.તેવી જ રીતે ધો-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૧૨,૬૮૩ વિધાર્થીઓ નોંધાયા હતા.અને ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૨,૭૭૦ વિધાર્થીઓ નોંધાયા હતા.દરમિયાન ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૦માં લેવામાં આવનારી પરીક્ષામાં અર્થાત આ વખતે ભાવેણામાં ધો-૧૦માં ૪૧,૬૬૮ વિધાર્થીઓ, ધો-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૧૪,૦૫૬ વિધાર્થીઓ અને ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૨,૮૪૯ વિધાર્થીઓ નોંધાયા છે.અર્થાત ગતવર્ષની તુલનામાં ધો-૧૦માં ૧૫,૫૦૭ વિધાર્થીઓ, ધો-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૨,૦૦૦ વિધાર્થીઓ અને ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૭૯ વિધાર્થીઓની વધારો નોંધાયો છે.ગત વર્ષની તુલનામાં આ વખતે ધો-૧૦ અને ધો-૧૨ સામાન્ય પ્રવાહ અને ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની વિધાર્થીઓની સંખ્યામાં વધારો થવા પામ્યો છે.સુત્રોનાં જણાવ્યા અનુસાર, ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં છાત્રોની સંખ્યા સતત ઘટતી હોવાની બુમ વચ્ચે ભાવેણામાં ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપનારા છાત્રોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-૧૦ અને ધો-૧૨ની પરીક્ષા માર્ચમાં લેવામાં આવશે.જેની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે.