આફરાનું મૂળ આહાર

Feb 07,2010 Home > Supplements > Health >Article
 
comment    e-mail    print    
 
Viewed 2970
Rate 5.0
Rating
Bookmark The Article
 
 

આહારના કારણે પેટમાં ગેસ, અપચો, અજીર્ણ જેવી અનેક સમસ્યાઓ થાય છે. તેથી દરેક ક્યારે, કેટલં, કઇ રીતે ખાય છે તેના પર તેના આરોગ્યનો આધાર રહ્યો છે. જો આવી બાબતોમાં કેટલીક નાનીનાની પરેજીઓ પાળવામાં આવે તો ઘણા રોગોથી બચી શકાય છે.

૧. ભારે ભોજન ભયજનકઃ કેટલાંક ફળો, શાકભાજીઓ પેટમાં વાયુનું નિર્માણ કરે છે. પેટને ગડબડ કરતાં ભારે પદાર્થો, ફળો કે શાકભાજીઓ વગેરે જેવી કે ડુંગળી, મૂળા, ફ્લાવર, કોબીજ, સફરજન કેળાં વગેરે પચવામાં અતિ ભારે છે અને શરીરને નુકસાનકર્તા છે. પ્રોટીનવાળો ખોરાક જ્યારે વધુ પ્રમાણમાં લેવામાં આવે તો શરીરના આંતરડાંમાં ઇન્ડોલ અને સ્કેટોલ ગેસ પેદા થાય. આમ ઉપર દર્શાવેલાં ફળો કે શાકભાજીઓ વગેરે લેવામાં સંયમ રાખવો જરૃરી છે. જો તે અતિ પ્રમાણમાં લેવામાં આવે તો તેનાથી શરીરને નુકસાન થઇ શકે.

૨. દૂધની બનાવટો : એશિયા ખંડની વાત કરીએ તો મોટા ભાગની પ્રજામાં એન્જાઇમ લેક્ટોઝની ઊણપ વર્તાય છે. તેવામાં દૂધ અને તેની બનાવટોને વધુ પ્રમાણમાં લેવામાં આવે તો તે શરીરને નુકસાન કરે છે.

૩. કોલ્ડ ડ્રિક્સની કિટ્ટા કરોઃ પેટમાં પહોંચીને પીડા કરતાં પદાર્થો જેવા કે કાર્બોનેટેડ ઠંડા પીણાં, સોડા જેવા કોલ્ડ ડ્રિંક્સ આંતરડામાં ગેસનું પ્રમાણ વધારે છે તેથી તેને ટાળો.

૪. ભોજન લેતા સમયેઃ જમતી વખતે મોટા મોટા કોળિયા લેવાથી ખોરાક ચાવવાને બદલે ગળી જવામાં આવે છે. આવો ખોરાક આંતરડામાં પચતો નથી અને તે ગેસ પેદા કરે છે. પચ્યા વગરનો ખોરાક દૂષિત થવાથી શરીરને નુકસાન કરે છે. પેટમાં પીડા અને દુખાવો કરાવે છે.

જો ગેસ ઉપર ચડે તો દર્દીને પારાવાર મુશ્કેલી પડે છે. આથી ભોજન કરતી વખતે ઉતાવળ કરવાને બદલે શાંતિથી ધીમે ધીમે નાના નાના કોળિયા લેવા જેથી ખોરાકને ચાવવાની મુશ્કેલી ના પડે. તે ઉપરાંત ખોરાકને ચાવીચાવીને ખાઓ. વાતો કરતાં કરતાં જમવાથી ભોજનની સાથે સાથે હવા પણ મોં વાટે પેટમાં જાય છે.

૫. મોસમ પ્રમાણેનાં ફળોઃ બદલાતી મોસમ પ્રમાણે ફળો અને શાકભાજી પણ બદલાય છે. તે ચોક્કસ પણ લઇ શકાય પરંતુ તે લેવામાં સંયમ રાખવો જેથી શરીરને તકલીફ ના થાય. એકાંતરિયાની જેમ ભોજન પર તૂટી પડવાની જરૃર નથી. થોડા સંયમ સાથે થોડા થોડા અંતરે ખોરાક લેતા રહેવાથી પાચનક્રિયામાં તકલીફ થતી નથી.

ઘણા લોકો ગરમાગરમ ભોજનના શોખીન હોય છે પરંતુ તેમને તે વાતનો ખ્યાલ નથી કે ગરમ ભોજનની સાથે હવા પણ પેટમાં જતી હોય છે. ગરમ પીણાં પણ કદી એકશ્વાસે ન લેતા તે ધીમે ધીમે લેવા. જમતી વખતે રીલેક્સ થઇ ખોટી ચિંતા વગર જમો.  

ગરમાગરમ  ચા પીનારાઓ સાવધાન

શિયાળાની કડકડતી ઠંડીમા ગરમાગરમ ચા મળે તો કોણ ના પાડે! જો તમને ગરમાગરમ ચા પીવાની ટેવ હોય તો અત્યારે જ ચેતી જવાની જરૃર છે. કારણ કે ગરમાગરમ ચા પીવાથી અન્નનળીનું કેન્સર થવાની શક્યતા રહે છે. મુંબઇની તાતા મેમોરિયલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા એક સંશોધન પરથી તેમને જણાયું હતું કે ગરમ ચા પીવાથી શરીરમાં રહેલી અન્નનળીની દીવાલને નુકસાન થવાની શક્યતા રહે છે. જેના કારણે ગરમ ચા પીવાની ટેવ ધરાવતા લોકોમાં અન્ય લોકો કે જેઓ સાધારણ ગરમ ચી પીએ છે તેમના કરતાં કેન્સર થવાની ચાર ગણી શક્યતા રહે છે.

આ કેન્સરનું જોખમ ગુટકા, તમાકુ કે ધૂમ્રપાનના કારણે થતાં અન્નનળીના કેન્સર કરતાં વધુ રહે છે. સંશોધકોએ આ બાબતે ૪૪૨ દર્દીઓનો અભ્યાસ હાથ ધર્યો હતો. તેમના મતે ગરમ ચા શરીરને નુકસાન કરતી હોઇ ચાને થોડી ઠંડી થવા દઇને પીવાથી શરીરને નુકસાન થશે નહીં.  

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

 
 
   
 

Comments

 
   
 

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com