Make Sandesh your homepage| My Page |Archive | 8x4 Home Page | | Reading Problem?
Last Updated: Feb 09,2010 07:02:38 PM IST
મહા વદ અગિયારસ-
Home
National
Gujarat
Business
World
Sports
Entertainment
Supplements
Astrology
Money Transfer
Special
Classified
Breaking News રિલાયન્સ-સહારા ફૂટબોલ ક્લબ લિવરપુલ ખરીદવાની હોડમાં | ૨૬/૧૧ : ભારતીય શકમંદ ભારત માટે કામ કરતો હતો | પાંચની હત્યા કરનાર બેને સુપ્રીમે મૃત્યુદંડ-મુક્તિ આપી | પુત્રીના લગ્નની તૈયારીઓ શાંતિની વાટાઘાટો કરતાં પણ અઘરી છેઃ હિલેરી | ડાયેટિગ કરવાથી વ્યક્તિને કાયમનું ખાઉધરાપણું વળગે |
Home > City Life>Article Aug 07,2008
મોલ કલ્ચર સામે પરંપરાગત બજાર આજે પણ અડીખમ
Print Print Print E-mail Print Comment
Viewed 431
Rate 0
Rating
Bookmark The Article
 
 

હર હર મહાદેવની ગૂંજ એટલે શ્રાવણ માસની શરૃઆત. હિન્દુઓના ર્ધાિમક મહિના તરીકે ખ્યાતિ મેળવનાર શ્રાવણ માસમાં ગુજરાતીઓ મન ભરીને ભક્તિ કરી લે છે. મહિના દરમિયાન શહેરના સમગ્ર મહાદેવના મંદિરોમાં ઉત્સવ જેવું વાતાવરણ દીપી ઊઠે છે. ભગવાન શંકરના ભજનોના સંગીત સાથે નાના મોટા સૌ કોઇ ઓમ નમઃ શિવાયના જાપમાં લીન થઇ જાય છે. શિવલીંગ પર બિલીપત્રોની હારમાળા સર્જાય છે તો ક્યાંક શિવલીંગને ચંદનના સાજ-શણગાર કરાય છે. વળી, પૂજા કાર્ય માટેના પૂજાપા તેમ જ પ્રસાદ, ભગવાનના વસ્ત્રો જેવી દરેક ચીજ-વસ્તુની ખરીદી અગાઉથી જ કરાય છે. જાણીને આશ્ચર્ય લાગશે કે આ મોલ કલ્ચરના જમાનામાં પણ વર્ષો જૂના પરંપરાગત બજાર અડીખમ રહ્યા છે. શાકભાજી, ર્ફિનચર, ઘર વપરાશની ચીજ-વસ્તુઓ, કપડાં કે ઓર્નામેન્ટ્સની મોલમાં જઇ ખરીદી કરતાં અમદાવાદીઓ શ્રાવણ માસના પૂજાપાનો સામાન ખરીદવા માટે પરંપરાગત બજારો પર જ પસંદગી ઉતારે છે. પૂજાપાની દુકાન ધરાવતા ભરતભાઇ જણાવે છે, ‘મોલ આવ્યા હોવા છતાં અહીંથી પૂજાપાની સાધન-સામગ્રીની ખરીદી પહેલા જેટલી જ થાય છે. પરંતુ આશ્ચર્યની બાબત તો એ છે કે, હવે યંગસ્ટર્સ પણ ભક્તિ તરફ વળ્યા હોવાથી પૂજાપાના સામાનની ખરીદીમાં તેમને પણ રસ વધ્યો છે. હાં, એ માનવું પડશે કે મોલમાં પૂજાપાની ખરીદી કરવાવાળો પણ એક વર્ગ છે પરંતુ, તેનાથી પરંપરાગત બજારોને વધુ કોઇ ફરક પડતો નથી. જ્યારે આ વિશે એક મોલના મેનજરનું કહેવું છે, ‘મોલ બનવાથી લોકોને એક

જ સ્થળેથી દરેક સામાનની ખરીદીમાં સરળતા રહે છે. સમય પણ ઓછો બગડે અને સરળતાથી જરૃરિયાતની ચીજ-વસ્તુ ખરીદી શકાય છે. મોલ સિસ્ટમ શહેરના મોટાભાગના લોકોને આકર્ષી છે પરંતુ, હજુ એવો વર્ગ છે જેમને મોલની સરખામણીમાં પરંપરાગત બજારમાં

જઇને ખરીદી કરવી વધુ પસંદ છે.’ નિયમિતપણે પરંપરાગત બજારમાંથી ખરીદી કરતાં નિરંજના વ્યાસનું કહેવું છે, ‘મોલમાં કોઇ પણ વસ્તુની ખરીદી સામાન્ય ભાવ કરતાં થોડી મોંઘી પડે છે. એની સરખામણીએ પરંપરાગત બજારમાં એટલા જ રૃપિયામાં ક્વોન્ટીટી વધુ અને વસ્તુ ફ્રેશ મળે છે. તેમ જ દરેક વસ્તુની વધુ માત્રામાં ચોઇઝ મળી રહે છે. જેમ કે, શ્રાવણ મહિનાના પૂજાપાની દરેક વસ્તુ પરંપરાગત બજારમાંથી ઓછા ખર્ચે, વધુ માત્રામાં ખૂબ જ સારી ક્વોલિટીવારી મળી રહે છે.’

 
More News From
  More News
 
Comment
Write Here
Name : City :
E-mail :
Most Popular
Recipe Page More News
Archive
Date GO
(mm/dd/yyyy)
Columns Editorial    
About Us | Advertise with Us | US Edition | Contact Us | Site Map | Feedback | Privacy Policy |Terms & Conditions| News For Your Site |Code Of Conduct

Site best viewed in I.E.6 or + with 1024 X 768 Resolution
© Reproduction in Whole or in part without written permission is prohibited.

investorsgrievance@sandesh.com