વૉશિંગ્ટન : તા. 10
ભારતના વિદેશ સચિવ શિવશંકર મેનન અને અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન વચ્ચે થયેલી વાતચીતમાં મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા, અફઘાનિસ્તાનની સ્થિતિ અને શ્રીલંકામાં સંઘર્ષની સ્થિતિ પર ચર્ચા થઈ હતી. તેમજ આતંકવાદનો સામનો કરવાના ઉપાયોગ પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
મેનને અમેરિકાના ચાર દિવસના પ્રવાસ છે. તેઓ વિદેશ વિભાગમાં હિલેરી ક્લિન્ટનને મળ્યા અને તેમની સાથે અફઘાનિસ્તાનની તાજા સ્થિતિ તેમજ મુખ્ય દ્રિપક્ષીય અને ક્ષેત્રીય બાબતો પર પણ ચર્ચા કરી હતી.
ઓબામા સરકાર અફઘાનિસ્તાનમાં સ્થાયી શાંતિ બહાલીની દિશામાં ભારતને એક પ્રમુખ ક્ષેત્રીય ભાગીદારના રૂપમાં જુએ છે. વિદેશ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે મેનન અને હિલેરી વચ્ચે લગભગ અડધા કલાક સુધી બેઠક ચાલી હતી જેમાં બંને નેતાઓએ શ્રીલંકા, પરમાણુ અપ્રસાર અને મુંબઈ આતંકવાદી હુમલા તથા અફઘાનિસ્તાનની સ્થિતિને ધ્યાનમાં રાખતા આતંકવાદને મૂળથી ઉખાડી નાખવા માટેના પ્રયત્નો પર ચર્ચા કરી હતી.