રાહુલ દ્રવિડ ઘણા વર્ષો સુધી ટીમ ઈન્ડિયા માટે રમ્યો અને તેનો કેપ્ટન પણ રહ્યો. હવે રાહુલ દ્રવિડના પુત્રએ મેદાન પર પોતાની પ્રતિભા બતાવવાનું શરૂ કરી દીધું છે. તે હાલમાં ભારતની અંડર-19 ટીમ માટે રમે છે. ભારત-શ્રીલંકા અંડર-19 સિરીઝ દરમિયાન તેના પુત્ર અન્વય દ્રવિડે શાનદાર ઈનિંગ રમી હતી. ભલે તે સદી ચૂકી ગયો, છતાં તે દર્શકોના દિલ જીતવામાં સફળ રહ્યો. અન્વય દ્રવિડે 67 બોલમાં 87 રન બનાવ્યા ભારત અને શ્રીલંકાની અંડર-19 ટીમો વચ્ચે મેચ રમાઈ રહી છે. પહેલા બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમને શરૂઆતમાં જ નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. અન્વય દ્રવિડ પાંચમા નંબરે બેટિંગ કરવા આવ્યો. તેને અર્જુન રાજપૂતે સાથ આપ્યો. આ દરમિયાન અન્વય દ્રવિડે શાનદાર બેટિંગ કરી અને 67 બોલમાં 87 રન બનાવ્યા. આ દરમિયાન તેને 9 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. અર્જુન રાજપૂતે 81 બોલમાં 76 રનની ઈનિંગ રમી. આ જ કારણ હતું કે ભારતીય અંડર-19 ટીમ 285 રન બનાવવામાં સફળ રહી. રાહુલ દ્રવિડના દીકરાનું શાનદાર પ્રદર્શન આ સિરીઝની પહેલી મેચમાં અન્વય દ્રવિડ ફક્ત 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પરંતુ આ વખતે તેને સ્થિર બેટિંગ કરી અને પોતાની અડધી સદી પણ પૂર્ણ કરવામાં સફળ રહ્યો. અન્વય દ્રવિડ હાલમાં લગભગ 17 વર્ષનો છે અને અંડર-19 ટીમ માટે રમે છે. તે રાઈટ હેન્ડ બેટ્સમેન છે. પરંતુ તે પહેલા વિવિધ પોઝિશન પર રમી ચૂક્યો છે, તે તાજેતરમાં જ ચર્ચામાં આવ્યો છે. સમિત દ્રવિડ થોડા દિવસ પહેલા સુધી મહારાજા T20 ક્રિકેટ રમ્યો રાહુલ દ્રવિડનો બીજો એક પુત્ર, સમિત દ્રવિડ પણ ક્રિકેટ રમી રહ્યો છે. તે હવે 20 વર્ષથી વધુનો છે. તાજેતરમાં સુધી સમિત મહારાજા T20 ક્રિકેટ રમી રહ્યો હતો, તેને પણ સારી ઈનિંગ રમી હતી. બંને ભાઈઓ અલગ અલગ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે. જો તેઓ આ રીતે રમવાનું ચાલુ રાખશે, તો ટૂંક સમયમાં બંનેને ભારતીય ટીમ માટે રમવાની તક મળી શકે છે. પરંતુ ટીમ ઈન્ડિયા માટે હાલમાં ઘણી સ્પર્ધા છે, તેથી તેમને સતત સારું પ્રદર્શન કરવું પડશે. આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?